માટેલ રોડ ઉપર અકસ્માતમાં મોરબીના યુવાનનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ રોડ ઉપર ગત મોડી રાત્રે બાઇકને રિક્ષાએ હડફેટે લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોરબીના યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામા કાંઠે આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતા અજયસિંહ મનોહરસિંહ જાડેજા ઉ.વ.૩૯ નામના યુવાન વાંકાનેર હાઇવે પરના માટેલ રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં નોકરી અર્થે ગયા હતા ત્યાંથી કામ પૂર્ણ કરીને પરત ઘેર ફરતા સમયે માટેલ રોડ ઉપર આઇસ સિરામીકની સામેના ભાગે સીએનજી રીક્ષા સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગંભીર ઇજાઓ થવાથી અજયસિંહ જાડેજા નામના આશાસ્પદ યુવાનનું મોત નીપજયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અજયસિંહ પરિણીત હતા અને બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઇ સીએનજી રીક્ષા સાથે અથડાતા ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા બીટ જમાદાર સુરેશભાઈ આહીર ચલાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text