- text
પરશુરામ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળશે : વોર્ડ વાઇઝ આરતીનું આયોજન
મોરબી : મોરબીમાં ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હર્ષોલ્લાસભેર ઉજવવા ભૂદેવોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ વોર્ડ વાઇઝ આરતીના કાર્યક્રમો યોજાશે.
મોરબીમાં ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો તા.7 મેં ના રોજ અખાત્રીજના પાવન પર્વએ જન્મોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામ દાદાની જન્મજયતિની ઉજવણી કરવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.અને મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયતીની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.તાજેતરમાં પરશુરામ જયતીની ઉજવણીના આયોજન અંગે પરશુરામ યુવા ગ્રુપની બેકઠ મળી હતી.જેમાં તા.7 મેં ના રોજ સાંજે ચાર વાગ્યે પરશુરામ જ્યંતી નિમિતે ગાયત્રી મંદિર વાઘપરા શેરી નંબર 14 થી પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જે મુખ્યમાર્ગો પર ફરીને નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે પહોંચીને પૂર્ણ થશે.આ ઉપરાંત વોર્ડ વાઇઝ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આગામી તા.1ના રોજ સાંજે 6 વાગ્યે મહિલા પરિવાર દ્વારા ગાયત્રી મંદિર વાઘપરા, રાત્રે 9 વાગ્યે સામાકાંઠે રિલીફ નગરમાં આવેલ યોગેશ્વર મહાદેવ મંદિર, તા.2ના રોજ રાત્રે 9 વાગ્યે રામેશ્વર મહાદેવ મંદિર સામાકાંઠે ગુ.હા.બોર્ડ,તા.3ના રોજ રાત્રે 9 વાગ્યે લખધિરવાસ ચોક,તા.4ના રોજ રાત્રે 9 વાગ્યે આરાધના સોસાયટી, શુભ હોટલ પાછળ શનાળા રોડ તથા તા.5ના રાત્રે 9 વાગ્યે ત્રિલોક ધામ કુબેરણગર ખાતે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યક્રમોને સફળ બનાવવા ધ્યાનેશ રાવલ, ધર્મેન્દ્ર જોશી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text