મોરબીમાં મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરે તે પૂર્વે પાસના કાર્યકરોની અટકાયત

- text


હાર્દિક પટેલ વિશે ટિપ્પણી કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈના પૂતળાનું દહન કરવાની આમરણ ખાતે મળેલી બેઠકમાં અપાઈ હતી ચીમકી

મોરબી : હાર્દિક પટેલ વિશે મુખ્યમંત્રીએ કરેલી ટિપ્પણી બદલ તેઓના પૂતળા દહન કરવાની પાસના આગેવાનોએ આમરણ ખાતે ગઈકાલે મળેલી બેઠકમાં ચીમકી આપી હતી. ત્યારે આજ રોજ મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરવાની તૈયારીમાં રહેલા પાસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના આમરણમા ગઈકાલે પાસની બેઠક મળી હતી. આ બેઠકમાં હાર્દિક પટેલની વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પૂતળાનું દહન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી. આ ચીમકી બાદ આજે શહેરના સુપરમાર્કેટ ખાતે મુખ્યમંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

- text

જો કે સુપરમાર્કેટ ખાતે ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસનો સ્ટાફ તૈનાત રહી ગયો હતો. મુખ્યમંત્રીના પૂતળાનું દહન થાય તે પૂર્વે જ પાસના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે હજુ પણ પૂતળાનું દહન ન થાય તે માટે પોલીસનો કાફલો અહીં સ્ટેન્ડ બાય રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text