મોરબીમાં લોખંડનો દરવાજો માથે પડતા ઘાયલ થયેલ માસૂમ બાળાનુ મોત

- text


મોરબી : મોરબીમા લોખંડનો દરવાજો માથે પડતા ૩ વર્ષની માસૂમ બાળાને રાજકોટ સારવારમાં ખસેડવામા આવી હતી. જો કે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના કેનાલ રોડ ઓર અવની ચોકડી પાસે સિયારામ હાઇટ્સના પાર્કિંગના રહેતા વિષ્ણુભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરની ૩ વર્ષની પુત્રી વિદ્યાની માથે ગત તા. ૮ ફેબ્રુઆરીના રોજ લોખંડનો દરવાજો પડ્યો હતો. આ અકસ્માતમા ઘાયલ થયેલ બાળકીની રાજકોટ ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે ગત તા. ૧૦ ના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાદમાં ગઈકાલે એ ડિવિઝન પોલીસને આ અંગેના કાગળો મળતા નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text