- text
મોરબી : કાશ્મીરના પુલાવામાં થયેલા આંતકી હુમલાના શહીદ સૈનિકોને ઠેરઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.ત્યારે મોરબીના રાષ્ટ્ભક્તોની સહયોગી સંસ્થા માતૃભૂમિ ટ્રસ્ટ દ્વાર કાલે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
મોરબીમાં રાષ્ટ્ભક્તોની સહયોગી સંસ્થા માતૃભૂમિ ટ્રસ્ટ દ્વારા આવતીકાલ તા.16ના રોજ શનિવારે રાત્રે 9-15 વાગ્યે રવાપર રોડ પર આવેલા બાપાસીતારામ ચોક ખાતે અમરવીર શહીદ જવાનોને વિરાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાષ્ટ્ભક્તો શહીદ પરિવારોને કેવી રીતે મદદરૂપ થઇ શકે અને નાગરિકો રાષ્ટ્ને કેવી રીતે યોગદાન આપી શકે તેની જાણકારી અપાશે.ત્યારે આ શહીદોના વિરાંજલી કાર્યક્રમમાં સમગ્ર શહેરીજનોને હાજર રહેવા માતૃભૂમિ ટ્રસ્ટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text