- text
મોરબી: મોરબી તાલુકાના સજનપર(ધુ.) ગામે માતાજીના પાઠ તથા ગાંડુબાપાના દેવ ડાયરાનું આયોજન તા. ૧૩ને બુધવારના રોજ રાત્રે ૯ કલાકે કરવામાં આવ્યું છે.
આ દેવ ડાયરામાં કાળુભાઈ રાવળ (ધર વાળા) તથા તેમનું સાજિંદા ગ્રુપ ડાકલાની રમઝટ બોલાવશે. આ દેવ ડાયરામાં સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા રૈયાણી પરિવાર તથા ખીમજીભાઈ બેચરભાઈ રૈયાણી (ઉમાવંશી ડેરી ફાર્મ)એ આમંત્રણ પાઠવ્યું છે.
- text
- text