મોરબીમાં ૮ જાન્યુઆરીએ માં સોનલ બીજની ભવ્ય ઉજવણી કરાશે

- text


મોરબી : ગઢવી તેમજ ચારણ સમાજ દ્વારા જગદંબા સોનબાઇ આઈનો ૯૫મો પ્રાગટય ઉત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોષ સુદ બીજનો દિવસ ગઢવી , ચારણ સમાજ માં સોનલ બીજ તરીકે ઉજવે છે. મોરબીમાં ગત વર્ષથી સમાજ દ્વારા સોનલબીજની ઉજવણી શરૂ થઈ છે ત્યારે આ વર્ષે પણ ૮ જાન્યુઆરીને મંગળવારે આવતી પોષ સુદ બીજના દિવસે માં સોનલ આઈની શોભાયાત્રા કબીર આશ્રમથી પ્રસ્થાન કરશે જે કાલિકા પ્લોટ ખાતે સોનેગ્રા સતવારાની વાડીએ પહોંચીને વિરામ લેશે.જ્યાં પ્રાથના આરાધના બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા તેમજ મહાપ્રસાદના આયોજનમાં પધારવા સમગ્ર ગઢવી-ચારણ સમાજને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text