મોરબીમાં સંત વિરદાસબાપુની પુણ્યતીથીએ વિવિધ કાર્યક્રમો યોજાશે

- text


મોરબી: ઠાકર ભજન મંડળ તથા વરિયા પ્રજાપતિ જ્ઞાતિજનોના સહયોગથી તા.30ને રવિવારે ગુરુ વિરદાસબાપુની 14મી પુણ્યતિથી નિમિતે વિવિધ ધાર્મિક, સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.30ને રવિવારે 8-30 વાગ્યે વાતાવરણ શુધ્ધિ માટે 11 કુંડી યજ્ઞ, બપોરે 2 થી 4-30 દરમિયાન રક્તદાન કેમ્પ ,સાંજે 4 વાગ્યે બટુકભોજન,વરિયા મહિલા મંડળ અને ગોકુલના બાલ હનુમાન મંદિર દ્વારા સાંજે 4 થી 6 ધૂન કીર્તન ,સાંજે 6 વાગ્યે મહાઆરતી,સાંજે 6-30 થી 8 વાગ્યા દરમ્યાન મહાપ્રસાદ અને રાત્રે 9 વાગ્યે વરિયા માતાજીનું માંડલુ સહિતના કાર્યક્રમો સો ઓરડીમાં આવેલા વરિયા માતાજીના મંદિરે યોજાશે.તેથી આ કાર્યકમોનો સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text