મોરબીમાં 30મીએ કૈલા પરિવાર સોશિયલ ગ્રુપનું સ્નેહમિલન

- text


મોરબી : કૈલા પરિવાર સોશિયલ ગ્રુપ મોરબી શહેર દ્વારા પારિવારિક ભાવનાને ઉજાગર કરવા તા.30ને રવિવારે બપોરે 2 વાગ્યે મિલન પાર્ટી પ્લોટ, રોકડીયા હનુમાનજી મંદિરની બાજુમાં નવલખી બાયપાસની મોરબી ખાતે સાતમા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનના અનુસધાને બાળકોની રમત ગમત સ્પર્ધા, પરિવારના આશિર્વાદ ,તેજસ્વીતા સન્માન સમારોહ, રાસ ગરબા તથા ભોજન સમારંભ યોજાશે .આ કાર્યક્રમોનો કેલા પરિવારને લાભ લેવાની અપીલ કરાઈ છે.

- text