મોરબીના નવલખી રોડની વિવિધ સોસાયટીઓ દ્વારા યોજાઈ છે અનોખી ગરબી : મુસ્લિમ બાળાઓ પણ ગરબે ધુમે છે

- text


પ્રાચીન પરંપરા અને કોમી એકતાના દર્શન કરાવતી અનોખી ગરબી

મોરબી : મોરબીના નવલખી રોડ પર જુદી – જુદી સોસાયટીઓ દ્વારા પ્રાચીન પરંપરાને જાળવી રાખી અનોખી ગરબી યોજાઈ છે જેમા કોમી એકતા રૂપે મુસ્લિમ બાળાઓ પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે.

મોરબીના અમૃત પાર્ક, લાયન્સનગર, જલારામ પાર્ક, રણછોડનગર, લક્ષ્મીનારાયણ તથા સર્વોદય સોસાયટીના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનો કાલે પરંપરાગત રીતે પ્રારંભ થયો હતો જેમાં મુસ્લીમ બાળાઓ સહીત કુલ ૨૦૦ બાળાઓ જોડાઈ હતી.

આધુનિક સમયમા અર્વાચીન નવરાત્રી મહોત્સવનુ મહત્વ વધ્યુ છે ત્યારે રાત્રે ૧૧ વાગ્યા સુધી ગરબી શરૂ થતી નથી પરંતુ ખરેખર સંધ્યાસ્ત નો સમય માતાજી ના ગરબા માટે હોય છે જે પરંપરા અનુસાર મોરબી ના નવલખી રોડના વિવિધ વિસ્તારના આગેવાનો સાથે મળી એક જ ગરબી નુ આયોજન છેલ્લા ૧૦ વર્ષ થી કરી રહ્યા છે જે આધુનિક સમયમા એકતાના દર્શન કરાવનારી બાબત છે.

- text

ગઈકાલે પ્રથમ નોરતે નવલખી રોડના અમૃત પાર્ક, લાયન્સ નગર, જલારામ પાર્ક, રણછોડ નગર, લક્ષ્મીનારાયણ તથા સર્વોદય સોસાયટીના આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી, માતાજીની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવ શરૂ કર્યો છે. વિવિધ વિસ્તાર ની કુલ ૨૦૦ જેટલી બાળાઓએ ગરબીમા ભાગ લીધેલ છે. જે તમામ બાળાઓને નવરાત્રી દરમિયાન દરેક નોરતે પ્રસાદ વિતરણ તેમજ અંતિમ નોરતે વિવિધ પ્રકારની લ્હાણી વિતરણ કરવામા આવશે તેમ જલારામ સેવા મંડળના નિર્મિતભાઈ કક્કડ તથા સહમંત્રી રાજુ ભાઈ ગીરનારીની યાદીમાં જણાવ્યુ હતું.

- text