મોરબીમાં રાવળદેવ યુવાનની હત્યા મામલે ફરિયાદ નોંધાઇ : આરોપી હાથવેંતમાં

- text


કાકાની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય ઓડ આરોપીએ છરીના ઘા ઝીકી દીધા

મોરબી : મોરબી રવાપર રોડ પર ગઈકાલે રાત્રીના રાવળદેવ યુવાનને છરીના ઘા ઝીકી રહેંસી નાખવાની ઘટનામાં મૃતક યુવાનની માતાની ફરિયાદના આધારે પોલીસે ઓડ યુવક વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ હત્યાની ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. અને સગીર હત્યારાએ પોતાના કાકાની પુત્રી સાથે પ્રેમ સંબંધ મામલે આ કૃત્યને અંજામ આપ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ગઈકાલે રાત્રીના સવા દસેક વાગ્યના સુમારે ઘનશ્યામ માર્કેટ નજીક કાલિકા પ્લોટ શેરીના નાકા પાસે રાહુલ અશ્વીનભાઈ ભોજક નામના વીસ વર્ષના યુવાન ઉભો હતો ત્યારે ત્યાં જ બેઠેલા આરોપીએ છરીથી હુમલો કરતા મૃતક યુવાન પોતાના ઘર તરફ દોડીને ભાગ્યો હતો પરંતુ જીવલેણ ઘા ના કારણે ઉભો થઇ શક્યો ન હતો.

બીજી તરફ ઈજાગ્રસ્ત રાવળદેવ યુવાન રાહુલ અશ્વીનભાઈ ભોજકને મિત્રો અને સગાંવહાલાં રાહુલને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ગંભીર હાલતમા રાજકોટ સારવારમા લઈ જતા રાહુલે રસ્તામા જ દમ તોડી દીધો હતો જેને પગલે બનાવ હત્યા મા પલટાયો હતો.

દરમિયાન રાહુલ અશ્વીનભાઈ ભોજકની હત્યા મામલે તેમના માતા ભારતીબેન ભોજકે હત્યા મામલે ઓડ શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી પોલીસના હાથવેંતમાં જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text