- text
વાંકાનેર : વાંકાનેરના જોધપર ગામે જમીન પરથી સામાન લઈ લેવા મુદે બોલાચાલી કરી અનુ.જાતિના પ્રૌઢને ચાર શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
- text
વાંકાનેરના જોધપર ગામે રહેતા મનુભાઈ વાધાભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે આહમદ અલાઉદીન ખોરજીયા, રહીમ હબીબ શેરસિયા, અબ્દુલ હશન ખોરજીયા અને ઈબ્રાહિમ નૂરમામદ શેરસિયાએ ખરાવાડમાંથી સામાન હટાવી લેવાનું કહી બોલાચાલી કરીને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ સંદર્ભે પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- text