- text
મોરબી : મોરબીના સરદારબાગ ખાતે આજે રવિવારે પુસ્તક પરબ દ્વારા વિચારોનું સહસ્ય પુસ્તકના પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગમાં પુસ્તક પરબ દ્વારા આજે રવિવારે સવારે ૯ થી ૧૧:૩૦ દરમિયાન પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાશે. જેમાં વિચારોનું રહસ્ય પુસ્તક પર તેમના જ લેખક સુમિત્રા પઢીયાર વક્તવ્ય આપશે.
- text
પુસ્તક પરબ પાસે ૨ હજાર પુસ્તકોનો ખજાનો છે. ત્યારે દર મહિનાના પહેલા રવિવારે આવીને મનગમતું પુસ્તક વિનામૂલ્યે વાંચવા લઈ જવાનું પુસ્તક પરબ દ્વારા સાહિત્યપ્રેમીઓને આહવાન કરવામાં આવ્યું છે.
- text