મોરબી પાલિકા કચેરીએ ગુરૂવારે સ્વ.નરેન્દ્રસિંહ જાડેજાની શ્રધાંજલિ સભા

- text


મોરબી : ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રદેશ ઉપપ્રમુખ અને મોરબી નગરપાલિકાના ટેક્સ સુપ્રીટેન્ડેન્ટ નરેન્દ્રસિંહ જાડેજાનું ગત તા. ૧ના રોજ અવસાન થયેલ છે. તેઓની શ્રધાંજલિ સભા તા. ૬ને ગુરુવારના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીએ યોજાનાર છે. જેમાં રાજ્યની તમામ નગરપાલિકાના પ્રતિનિધિઓને હાજર રહેવા મહામંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.

- text