મોરબીના જૈન યુગલે મધર ટેરેસા ટ્રસ્ટ સંચાલિત બાળકોના આશ્રમમાં જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : મોરબી ના જૈન યુગલે મધર ટેરીસા ટ્રસ્ટના બાળકોના આશ્રમ ખાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ યુગલે માસુમ ભુલકાઓને ભોજન અને જરૂરી કિટ આપીને જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.

મોરબીની રીકોન કલોક મા એકાઉન્ટનુ કામ કરતા જૈન મેહુલ મહેતાના ધર્મ પત્ની નિશા મહેતાનો આજે જન્મ દિવસ હોય જેની અનોખી ઉજવણી કરવાના હેતુ સાથે તેઓએ મોરબીના મધર ટેરીસા ટ્રસ્ટ દ્વારા સંચાલિત માસુમ બાળકો ના આશ્રમ ખાતે જીવન જરૂરી કિટ આપી અને ભરપેટ ભોજન કરાવ્યું હતું.

- text

આ આશ્રમ ખાતે ૨૧ બાળકો છે જેને પાવડર સાબુ અને કઠોરની કિટ આપવામાં આવી હતી. આમ જૈન યુગલે અનોખી ઉજવણી કરીને જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.

- text