મોરબીના નવા એસપી તરીકે રાજકોટના ડીસીપી ડો. કરણરાજ વાઘેલા મુકાયા

- text


મોરબી : મોરબીના નવા એસપી તરીકે રાજકોટના ડીસીપી ડો. કરણરાજ વાઘેલાને મુકવામાં આવ્યા છે. જ્યારે જયપાલસિંગ રાઠોડની અમદાવાદમાં ઝોન-૧ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.

આજે રાત્રે રાજ્યના ૬૬ આઇપીએસ ઓફિસરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબીના એસપીની પણ બદલી થઈ છે. મોરબીના એસપી જયપાલસિંગ રાઠોડની અમદાવાદ સિટીમાં ઝોન-૧ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારે તેમની જગ્યાએ મોરબીના નવા એસપી તરીકે રાજકોટ સીટી ઝોન-૨ના ડીસીપી ડો. કરણરાજ વાઘેલાને મુકવામાં આવ્યા છે.

- text

- text