મોરબી: એસપી કચેરીમાં નાગદાનભાઈ આહીર અને પી.કે.લીલાનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : તાજેતરમાં પીઆઈની બદલીઓ કરવામાં આવી હતી જેમાં મોરબી એલઆઈબી માં ફરજ બજાવતા પી.કે.લીલાની બદલી થઈ છે.જયારે એસપી કચેરીમાં ફરજ બજાવતા નાગદાનભાઈ આહીર વયમર્યાદાને પગલે નિવૃત થયા હોય, જેનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

વય મર્યાદાને પગલે નિવૃત થયેલા નાગદાનભાઈ આહીર અને પીઆઈ લીલાનો વિદાય સમારોહ એસપી કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો જે પ્રસંગે એએસપી અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી બન્નો જોષી ઉપરાંત એસપી કચેરીનો સ્ટાફ, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે નાગદાનભાઈ આહીરનું સન્માન કરી તેઓને ભાવભેર વિદાય આપવામાં આવી હતી.

- text

નાગદાનભાઈ આહિરે એલસીબી, એસઓજી, આર આર એલ અને એસપી કચેરી સહિતના મહત્વના ખાતાઓમાં ફરજ બજાવી છે તેમજ તેમના વિદાય સમારોહમાં તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવામાં આવી હતી તો ડયુટીની સાથે પરિવારને પણ પુરતો સમય અને સ્નેહ આપ્યો હોય જેથી તેમના સંતાનો પણ યોગ્ય સ્થાને કામકાજ કરી રહ્યા છે તેમના વિદાય સમારોહમાં તેમના સાથી કર્મચારીઓ લાગણીશીલ બન્યા હતા.

- text