મોરબીની પરિણીતા પર પતિ સહિત ૪ સાસરિયા ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ

- text


પોલીસે પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
મોરબી: મોરબીના રવાપર રોડ પર વ્રજવાટીકા સોસાયટીમાં રહેતી પરિણીતાએ તેના પતિ સહિત ૪ સસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતા હોય અને જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વ્રજવાટીકા સોસાયટી પ્લોટ નં-૫ ,એવન્યુ પાર્કની બાજુમા, રવાપર રોડ ખાતે રહેતા અજ્ઞાબેન મિલનભાઈ ગોધાણીએ તેમના પતિ , સાસુ, સસરા અને દિયર મારપીટ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોય તેમજ જાન થી મારી નાખવાની ધમકી આપી છે તેવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text

પોલીસે પરિણીતાના પતિ મીલનભાઇ હસમુખભાઇ ગોધાણી, સાસુ સરોજબેન ઉર્ફે સરસ્વતીબેન હસમુખભાઇ ગોધાણી, સસરા હસમુખભાઇ પરસોતમભાઇ ગોધાણી અને દિયર હીરેનભાઇ હસમુખભાઇ ગોધાણી સામે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text