- text
મોરબી: મોરબીના ગાયત્રીનગરમાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડાઓ ખાઈ લેતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર અર્થે તેને રાજકોટ ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ રવાપર રોડ , ગાયત્રીનગર, શ્રવણસેતુ એપાર્ટમેન્ટ,બ્લોક નં. ૬૦૩ ખાતે રહેતા અર્ચનાબેન વિમલભાઈ કોરડીયા ઉ.વ.૩૫ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટિકડીઓ ખાઈ લેતા તેને મોરબીની ગોકુળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેઓને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરીને આપઘાત કરવા પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.
- text