મારામારીના ગુનામાં ૪ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ મોરબીથી પકડાયા

- text


મોરબી : છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ૪ વર્ષ થી નાસતા ફરતા બે આરોપીઓને એલસીબીની ટીમે મોરબીના લાલબાગ ગેટ પાસેથી દબોચી લીધા હતા. બન્ને આરોપીની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં ૨૦૧૪ થી નાસતા ફરતા જુવાનસિંગ માનસિંગ ચૌહાણ ઉ.વ. ૩૦ અને ભેરુભાઈ ઉર્ફે ભૂરાભાઈ માનસિંગભાઈ ચૌહાણ ઉ.વ.૨૨ રહે. બન્ને ખડકવાડા, પટેલ ફળિયું, છોટાઉદેપુર વાળાઓને એલાઈબીની ટીમે મોરબીના લાલબાગ પાસેથી ઝડપી લીધા હતા. એલસીબીએ બન્ને આરોપીની અટકાયત કરીને આરોપીઓને મોરબી સીટી બી ડિવિઝનને સોંપ્યા છે.

- text