મોરબીમાં આજે પર્યાવરણની મહત્વતા વર્ણાવતી ધુન યોજાશે.

- text


પુત્રના જન્મદિવસ નિમિતે સેવાભાવી ચંદ્રશેખરભાઈ પટેલનું પ્રેરક આયોજન: વૃક્ષ પ્રેમી મંડળ ધૂનના માધ્યમથી આપશે પ્રકૃતિ જતનનો સંદેશ
મોરબી: મોરબીના રવાપર ધૂનડા રોડ પર ઉમિયાનગર-૨ સોસાયટીમાં આજે વૃક્ષ પ્રેમી મંડળ દ્વારા પર્યાવરણની મહત્વતા વર્ણવતી ધુન યોજાશે. સેવાભાવી ચંદ્રશેખરભાઈ પટેલના પુત્રના જન્મ દિવસ નિમિત્તે આ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના સેવાભાવી ચન્દ્રશેખરભાઈ પટેલના પુત્ર શિવ પટેલનો આજે જન્મદિવસ દિવસ છે. ત્યારે પુત્રના જન્મ દિવસ નિમિત્તે ચન્દ્રશેખરભાઈ દ્વારા તેમના નિવાસસ્થાન ઉમિયાનગર-૨ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં, ગૌતમ હોલથી આગળ, હનુમાનજી ના મંદિરથી આગળની શેરી , રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે આજે રાત્રે ૯:૩૦ થી ૧૧ સુધી વૃક્ષ પ્રેમી મંડળની ધૂન યોજાશે. આ ધૂનમાં પર્યાવરણ જતનનો સંદેશ સાથે પર્યાવરણની મહત્વતાને આવરી લેવામાં આવશે. આ ધૂનમાં પધારીને પર્યાવરણ અંગે વિશેષ જાણકારી મેળવવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિશેષ વિગતો માટે ચંદ્રશેખરભાઈ પટેલ મો.નં. ૯૫૭૪૮ ૮૮૯૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

 

- text