મોરબી સિરામિક એસો.ના હોદેદારોએ અંકલેશ્વર ઈન્ડ. એસોની મુલાકાત લીધી

- text


મોરબી: મોરબી સીરામીક એસોસિએશનના હોદ્દેદારોએ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એશોસીએસન ની મુલાકાત લીધી હતી. તેમની કોમન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કરીને આ સિસ્ટમ સિરામીક ઉધોગમા તેવી રીતે ઉપયોગ થાય તે વિષે માહીતી મેળવી હતી.

- text

મોરબી સીરામીક એસોસિએશનના હોદ્દેદારોએ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એશોસીએસન ની મુલાકાત લઇને તેઓની કાર્ય પધ્ધતિ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ તકે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એશોસીએસન ના હોદ્દેદારો જયેશ પટેલ , અમુલખ પટેલ તેમજ મોરબીના જ ઉધોગકાર મહેશ જાકાસણીયા અને ભુતપુર્વ રીજીયોનલ ઓફીસ દોલ્તીભાઇ વગેરે એ વિસ્તૃત માહીતી આપી સાથોસાથ ભરૂચ ઇન્વાયરો ઇન્ફ્રાસ્ટક્ચર લીમીટેડ ના જનરલ મેનેજર ભરતભાઇ ત્રિવેદી એ ફરી પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.

- text