મોરબીમાં મકાન ખાલી કરાવવાં મુદ્દે થયેલી હત્યામાં એકની ધરપકડ

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં ભાડાનું મકાન ખાલી કરાવવા મુદ્દે બે શખસોએ એક યુવાનની લોથ ઢાળી દેતા ચકચાર જાગી હતી. પોલીસે આ બનાવમાં ગણતરીની કલોકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં સદામ નામના વ્યક્તિના ભાડાના મકાનમાં રહેતા કાનજીભાઇ લાભશંકરભાઈ ચાવ નામના બ્રાહ્મણની સમીરશા ઉર્ફે ઈમ્તિયાજ યાકુબશા શાહમદાર અને તેના મિત્રે મળી હત્યા કરી નાખતા આ મામલે સીમાબેન બલવંતભાઈ ચાવડા નામના મહિલાએ ઉપરોક્ત બન્ને શખ્સોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

- text

ઘટના અંગે બી ડિવિઝન પોલોસે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ હત્યાના મુખ્ય આરોપી સમીરશા ઉર્ફે ઈમ્તિયાજ યાકુબશા શાહમદારની ધરપકડ કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text