મોરબી અને નાગડાવાસ ગામમાંથી ગુમ થયેલ યુવાનોની લાશ મચ્છુ-૩ ડેમમાંથી મળી

- text


મચ્છુ-૩ ડેમમાં દોરીએથી હાથ બાંધેલી હાલતમાં લાશ મળતા ચકચાર

મોરબી : મોરબી અને નાગડાવાસ ગામમાંથી ગુમ થયેલ બંને યુવાનોની મચ્છુ-૩ ડેમમાં દોરીએથી હાથ બાંધેલી હાલતમાં લાશ મળતાચકચાર મચી ગઈ છે. ફાયર બ્રિગેડના જવાનોએ મોરબી તાલુકા પોલીસની હાજરીમાં બંને યુવાનોની લાશ પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડી છે.

મોરબીના ગ્રીનચોક નજીક સાંકળી શેરીમાં રહેતો મનીષ જેન્તીભાઈ ગણાત્રા ઉ.૨૦ નામનો યુવાન ગત તા.૨૮ ના રોજ સવારે સાડા દસ વાગ્યે ઘેરથી હળવદ ઇન્ટરવ્યૂ આપવા જાવ છું કહી નીકળ્યા બાદ કોઈ આતો પતો ન લાગતા યુવાનના માતા જ્યોત્સનાબેન ગણાત્રાએ ગઈકાલે એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાનો પુત્ર ગમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમેજ મોરબીના નાગડાવાસ ગામના વતની યુવાન પ્રફુલ પ્રભાતભાઈ બાલાસરા પણ બે દિવસ પેહલા ઘરે થી કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું કહીને પરત ફર્યો ન હતો. આ બંને યુવાનોના પરિવારજનોએ પોલીસમાં ગૂમસુદાની નોંધ કરાવી હતી. તેવામાં આજે આ બંને ગૂમસૂદા યુવાનોની લાશ મચ્છુ 3 ડેમમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત બંને યુવાનોના હાથ દોરીથી બાંધેલી હાલતમાં જોવા મળતા અનેક ટ્રક વિતરક સર્જાયા છે. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી આ બનાવ આપઘાતનો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે જાણવા તપાસ શરુ કરી છે.

- text

- text