મોરબીમાં પાન-મસાલો આપવા મુદ્દે છરી વડે હુમલો

- text


ઝડપથી માવો કેમ નથી આપતો કહી બે શખ્સો તૂટી પડ્યા : લખધીરવાસમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના લખધીરવાસ વિસ્તારમાં બે શખ્સોએ ઝડપથી મસાલો કેમ નથી આપતો કહી દુકાનદાર પર છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લખધીરવાસ વિસ્તારમાં પાનની દુકાન ધરાવતા કિશન વિનોદભાઈ ઝાલાએ પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પોતાની પાન મસાલાની દુકાન હોય જ્યાં આરોપી એજાજ ચાનિયા અને આઝાદ ચાનિયાએ આવીને મસાલો આપવાનું કહેતા થોડીવાર રાહ જોવાનું કહયું હતું પરિણામે આરોપીઓ ઉશ્કેરાઈ જઈને છરી વડે ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી.

ઘટના અંગે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text