જે કામ ગ્રામપંચાયતે કરવાનું હતું તે કામ ગામના યુવાનો એ કર્યું

- text


લોકફાળો એકત્રિત કરી ગામની મુખ્ય જગ્યાઓ ને રંગ રોગાન કર્યું

- text

ટંકારા તાલુકાના હડમતિયામાં સરકારીતંત્ર કે ગ્રામપંચાયત દ્વારા વિકાસના કામો કરવામાં આવે છે પરંતુ અહી ગામના યુવાનો તંત્રની લાલચ રાખ્યા વિના જ લોકફાળો અેકત્રીત કરીને હડમતિયા ગામના પાદરમાં આવેલ શ્રી હનુમાનજી મંદિર, વૃક્ષોના અોટલા, પાણીનું પરબ, કુમારશાળાની કંપાઉડ વોલને રંગ રોગાન કરી દુલહન જેવી સજાવીને આકર્ષણ જગાવ્યું છે. ગામના યુવાનોઅે આશરે ૩૦-૩૫ હજાર જેવો લોકફાળો સિરામિક યુનિટના દાતાશ્રી તેમજ ગામના યુવાનદાતાશ્રીઅોઅે આપેલ અને જરુર જણાય તો વધુ પણ આપવા જણાવેલ.આ તમામ તનતોડ મહેનત ગામના સામાજિક કાર્યકર ડાકા નવિનભાઈ પી. તેમજ કુંડારીયા મનિષભાઈ અે. કરી રહ્યા છે.

 

- text