પૂર અસરગ્રસ્ત માળીયા વિસ્તારની મુલાકાત લેતા સાંસદ અને ધારાસભ્ય

- text


માલ-મિલ્કત અને ખેતીવાડી નુકશાન નો સર્વે ચાલુ કરાવાયો :અમૃતિયા

મોરબી : છેલ્લા બે દિવસથી ઉપરવાસના જોરદાર વરસાદને કારણે માળીયા (મી) તાલુકામાં નદી કાંઠાના ગામોમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે ત્યારે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સમગ્ર પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે
ધારાસભ્ય અમૃતિયાએ ગઈકાલે માળીયા તાલુકા ના વિરવદરકા હરિપર ફતેપર વગેરે ગામોની મુલાકાત લીધી હતી અને આજે સવારે માળીયા તથા કાજરડા ગામની મુલાકાત લીધી હતી.વધુમાં કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચી વાવેતર નુકસાન, માલ મિલકતને નુકસાન, જમીન ધોવાણ વી. વિષયો નો સર્વે ચાલુ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

- text