મોરબીના ઉદ્યોગપતિએ વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળુ ભરી સામાજિક સમરસતા દાખવી

- text


મોરબી : મોરબીના ઉદ્યોગપતિ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીએ મોરબીના વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળુ ભરી સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા હતા.

- text

મોરબીના વાલ્મિકી સમાજના રાજુભાઈ પરમાર તથા ભાનુબેન પરમારની પુત્રી ભુમિબેનના લગ્ન તારીખ 12એપ્રિલ 2024ના યોજાયા હતા. આ શુભ લગ્ન અવસરે મોરબીના ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી અને વિશ્વહિન્દુ પરિષદના આગેવાન રમણીકભાઈ મુળજીભાઈ સવસાણી તેમજ તેમના પરિવારના મહેન્દ્રભાઈ, તેમના માતા ધનીબેન, અશ્વિનભાઈ, જોસનાબેન, વૈશાલીબેન સહિત સમસ્ત સવસાણી પરિવાર દ્વારા ભુમિબેનનું મોસાળું ભરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે રાજુભાઈ પરમારના સગા વહાલા તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text