પિતાના સ્મરણાર્થે દીકરી દ્વારા 28મીએ રક્તદાન કેમ્પ અને ધુવાણા બંધ ગામ જમણ

- text


માળિયાના દેરાળા ગામે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા ધુન-ભજન તથા મહાપ્રસાદ સહિતના આયોજનો

મોરબી: પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. દીકરીઓ પિતાની સૌથી લાડકી હોય છે જ્યારે દીકરીઓ માટે તેમના પિતા કોઈ સુપર હીરોથી ઓછા હોતા નથી. ત્યારે સ્વર્ગસ્થ પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા દેરાળા ગામે એક દીકરી બ્લડ ડોનેશન કેમ્પ અને ધુવાણા બંધ ગામ જમણ યોજવાની છે.

માળિયા તાલુકાના દેરાળા ગામના સરળ શાતં સ્વભાવ અને આજે પણ લોકો જેમને યાદ કરે એવા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની તા.28 માર્ચના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. ત્યારે તેમની પુત્રી અને અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પ, ધુન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં તા.28 માર્ચના ગુરુવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમિયાન શનાળા રોડ પર આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજે 6 કલાકે માળિયા તાલુકાના દેરાળા ગામે સમગ્ર ગામ ધુવાળા બંધ મહાપ્રસાદ તથા રાત્રે 9 કલાકે ધુન-ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ રક્તદાન કેમ્પમાં વધાં વધુ રક્તદાન કરવા હેતલબેન પટેલ દ્વારા અપિલ કરવામાં આવી છે. તેમજ ધુન-ભજનમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text