મોરબી જિલ્લા તિજોરી અધિકારીને પેન્શનર સમાજ દ્વારા વિદાયમાન અપાયું 

- text


મોરબી : મોરબી જિલ્લા તિજોરી અધિકારી બી. કે. પાઘડાળની અમરેલી ખાતે બદલી થતાં તેઓને મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.

ગત તારીખ 23 માર્ચ ને શનિવારના રોજ સવારે 10 કલાકે મોરબીના રામધન આશ્રમ ખાતે બી.કે પાઘડાળનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં કારોબારી સભ્ય ચંદુભાઈ હુંબલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ બી.કે. પાઘડાળને સાલ ઓઢાડી સાકરના પડાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જે.એસ. ડાંગરે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને બીકે પાઘડાળની કામગીરીને વખાણી હતી. ત્યારબાદ ઉપપ્રમુખ રામજીભાઈ મેવાડા, ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા, ઉપપ્રમુખ મોરડીયા, કચેરીના સલાહકાર ભોરણીયા, કારોબારી સભ્ય મહેન્દ્રસિંહ ડી. ઝાલાએ વિદાય સમારંભને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. આ તકે વિદાયમાં થઈ રહેલા બી.કે. પાઘડાળે સૌનો આભાર વ્યક્ત કરી પેન્શનરોને ઉપયોગી માર્ગદર્શન આપી વિદાય લીધી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ હસમુખભાઈ વી. પંડ્યાએ કરી હતી.

- text

- text