પાંચીયા પરિવાર દ્વારા મોરબી તાલુકાના રફાળેશ્વર મહાદેવ મંદિરે કાલે ધ્વજારોહણ કરાશે

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ખાતે આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે પાંચીયા પરિવાર દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે . આવતીકાલે મહાશિવરાત્રિ છે ત્યારે મહાશિવરાત્રિ તારીખ 8 માર્ચ ને શુક્રવારના રોજ રફાળેશ્વર ગામના આગેવાન ખોડાભાઈ જગાભાઈ પાંચીયા તથા સમસ્ત પાંચીયા પરિવાર દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવનગજની ધ્વજા ચડાવવામાં આવશે. આ પાવન પર્વ નિમિત્તે મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા ખોડાભાઈ જગાભાઈ પાંચીયાના નિવાસ્થાનેથી પરંપરાગત રીતે કાઢવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે . આ પ્રસંગે સાધુ-સંતો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

- text