હળવદમાં ઠંડીમાં ઠુઠવાઈ જતા શ્રમિકનું મૃત્યુ

- text


હળવદ : હળવદ શહેરના નિલકંઠ મહાદેવ મંદીરના પાછળ ખારીવાડી વાળા રસ્તા ઉપર આવેલ અટુકભાઇ કાંકરેચા વાળાના ખેતરમાથી ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના વતની સુરેશભાઇ શંકરભાઇ ભીલ ઉ.50 નામના શ્રમિકનો મૃતદેહ મળી આવતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ઠંડીમાં ઠુઠવાઈ જતા આ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું નોંધી તપાસ શરૂ કરી છે, નોંધનીય છે કે, મૃતકની લાશ મળી તે જગ્યાએ દેશી દારૂની કોથળીઓ અને ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી.

- text