ભડિયાદ પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબી જીલ્લાના ભડિયાદ પ્રા.શાળાના આચાર્ય ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈ વય નિવૃત્તિ થતાં તેમનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત તેમજ રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે આચાર્ય કૈલાશભાઈ સાવરિયા, સીઆરસી કોર્ડીનેટર ઉમેશભાઇ પટેલ સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈને આગળનું જીવન સ્વસ્થ અને નિરોગી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુકેશભાઈ હુંબલ તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text