- text
મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં આજે 27 ફેબ્રુઆરીના રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- text
વિદ્યાર્થીઓમાં મત આપવાની જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલા વીડિયો અધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો. રાજ્યશાસ્ત્રના અધ્યાપક ડૉ. અતુલભાઈ ધ્રુવએ મત અંગેની જાગૃતિ લાવવા માટે વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ પ્રા. એ.એચ.રાજપૂતે મતદાન જાગૃતિ અંગે પોતાના મંતવ્યો જણાવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમના અધ્યક્ષ ઇ. પ્રિન્સિપાલ કે. આર. દંગી દ્વારા આ બાબતે યોગ્ય માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રા. જે .એમ. કાથડ કરી હતી.
- text