માટેલધામ ખાતે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો 

- text


ગુજરાત ઉપરાંત મુંબઈ સહિતના સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા 

મોરબી : આજે મહા સુદ આઠમને ખોડિયારમાંનો પ્રાગટ્ય મહોત્સવ નિમિતે મોરબી જિલ્લાના પવિત્ર યાત્રાધામ માટેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી પ્રાગટ્ય મહોત્સવ નિમિતે ખોડિયાર માતાજીનો માંડવો, હવન, મહા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ માટેલધામ ખાતે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિરે વહેલી સવારથી જ ગુજરાત ઉપરાંત મુંબઈ સહિતના સ્થળોએથી ભાવિક ભક્તોનો પ્રવાહ અવિરત રહ્યો હતો અને શુક્રવાર રાત્રે માતાજીનો નવરંગ માંડવો યોજાયો હતો તેમજ આજે પ્રાગટ્ય દિને મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને માતાજીનો હવન પણ કરાયો હતો અને મંદિર અને ભાવિક ભક્તો દ્વારા મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ભાવિક ભક્તોએ આખા દિવસમાં 22 થી વધુ માતાજીને ધ્વજા ચડાવી પોતાની મનોકામના પુરી કરી સર્વલોકનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરી હતી.

- text

- text