માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 2 જૂને સમૂહ લગ્નનું આયોજન

- text


મોરબી : પંચશીલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ મોરબી જિલ્લા દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન 2 જૂન 2024ના રોજ યોજાશે. જેમાં માતા-પિતા વિનાની તેમજ જરૂરિયાતમંદ પરિવારની 11 દીકરીના લગ્ન કરાવી આપવામાં આવશે. સમૂહ લગ્નમાં જોડાવવા માટે 30 જાન્યુઆરી બાદ ફોર્મ ભરવાના શરૂ થશે. ફોર્મ મેળવવા માટે નાગલ પાન, નજરબાગ રોડ, જૂની પોસ્ટ ઓફિસ બાજુમાં, મોરબી ખાતેથી મળશે વધુ માહિતી માટે દિનેશભાઈ ટુંડિયા મો.નં. 9537102327, અશ્વિનકુમાર ટુંડીયા મો.નં. 99097 01973નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text