પેરેલીસીસની બીમારીથી કંટાળી હળવદના ચંદ્રગઢ ગામના યુવાનનો આપઘાત

- text


હળવદ : હળવદના ચંદ્રગઢ(લીલાપુર) ગામે રહેતા યુવાને પેરેલીસીસની બીમારીથી કાંટાળી જઈ પોતાના ઘેર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા કિશોરભાઈ રણછોડભાઈ કટકીયા, ઉ.36 નામના યુવકને છેલ્લા દોઢ વર્ષથી પેરેલીસીસની બીમારીને કારણે જમણુ અંગ કામ કરતું બંધ થઈ જવાની સાથે બોલી શકતા પણ ન હોય માનસિક રીતે કંટાળી જતા પોતાના ઘેર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text