- text
હળવદ : હળવદના મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી 1.37.500 ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના મહર્ષિ ટાઉનશીપ વિસ્તારમાં તસ્કરોએ ગત તા.13ના રોજ ભગવાનભાઈ લાલજીભાઈ ગોહિલના ઘરને નિશાન બનાવી કબાટના ખાનાનો લોક તોડી કબાટમાં રહેલ સોનાનો ચેઇન, નાની મોટી બે સોનાની વીંટી, એક મુગટ વાળી વિટી એમ કુલ 3 વીંટી, સોનાનું પેન્ડલ એમ મળી કુલ રૂ.1,37,500ના સોનાના દાગીનાની ચોરી કરી જતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
- text
- text