મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માળીયાના ખાખરેચી ગામે થશે

- text


તાલુકા કક્ષાનો કાર્યક્રમ આમરણ મુકામે યોજાશે

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે તેમજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ આમરણ ગામે કરવામાં આવશે.

75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે 26મી જાન્યુઆરી ને શુક્રવારે સવારે 9 કલાકે ખાખરેચી ગામે સાર્વજનિક સ્કૂલની સામેના મેદાનમાં જિલ્લા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વરદ હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત તાલુકા કક્ષાનો કાર્યક્રમ આમરણ ગામે યોજાશે. મોરબી શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ સવારે 9:00 કલાકે પ્રાંત અધિકારી સુશીલ પરમારના હસ્તે કરવામાં આવશે.

- text

- text