મોરબીમાં રામચરિતમાનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞ યોજાયો

- text


મોરબી : મોરબીમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલા ટીંબાવાડી માતાજીના મંદિર ખાતે ભૈયાજી પરિવાર દ્વારા રામચરિતમાનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞ તેમજ શ્રી રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રામચરિતમાનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પદે સૌરાષ્ટ્રના વિદ્વાન વક્તા શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેની મધુર શૈલીમાં કથા અને ચોપાઈનું રસપાન કરાવવામાં આવ્યું હતું. શ્રી રામયજ્ઞના આચાર્ય પદે વેદાંતાચાર્ય વિદ્વાન શાસ્ત્રીજી દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેજસિંગ, શંકરભાઈ, કેશવભાઈ, જસપાલસિંહ, સુરેન્દ્રસિંહ, ગંગાસિંગ તેમજ સમગ્ર ભૈયાજી પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text