મોરબીમાં વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : વ્યાસ પ્રગતિ મંડળ- મોરબી દ્વારા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિ માટે મોરબીની ધનશ્રી હોસ્પિટલ મોરબી ખાતે રક્તદાન તેમજ બ્લડ ગ્રુપ ચેક કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ રકતદાન કર્યું હતું. સાથે સાથે મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું હતું.

મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ કેમ્પમાં સ્ટાફે ઉત્તમ સેવાઓ પૂરી પાડી હતી અને ઉત્સાહભેર રકતદાન કરનારા જ્ઞાતિજનોનો ઉત્સાહ વધારવા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી આયોજીત જ્ઞાતિ અને સમાજના હિતમાં આયોજીત આ કાર્યક્રમને પ્રશંસાના પુષ્પોથી બિરદાવ્યો હતો અને જ્ઞાતિહિતમાં હોય તેવા કાર્યક્રમો કરતા રહેવાની પ્રેરણા સાથે હુંફ પૂરી પાડી હતી. આયોજનને સફળ બનાવવા વ્યાસ પ્રગતિ મંડળ, મોરબીના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી.

- text

- text