મોરબીમાં જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ નિમિતે રાહતદરે ઉંધિયુ અને અંગુર બાસુંદીનુ વિતરણ

- text


મોરબી : પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે. તેમજ ડ્રાઈફ્રુટથી ભરપુર અંગુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે.

- text

ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૮૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૪ રવિવારે મકરસંક્રાંતિના રોજ સવારે ૯ કલાકથી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે યાદીમા જણાવ્યુ છે.

- text