- text
મોરબી : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં આ ઉત્સવને લઈને ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે મોરબીના વીરપરડા ગામે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
- text
હાલ મોરબીના ગામો ગામ કળશ યાત્રા ફરી રહી છે ત્યારે આજે અક્ષત કળશ યાત્રાનો રથ મોરબીના વીરપરડા ગામે પહોંચી હતી. જ્યાં લોકોએ હરખભેર કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ગામના રામજી મંદિરે ગ્રામજનોએ કળશના દર્શન કરીને પ્રભુ શ્રીરામના આશીર્વાદ લીધા હતા.
- text