“પોડકાસ્ટ”માં આ વખતે જાણીતા શિક્ષણવિદ્ પી.ડી.કાંજીયા સાથે ખાસ વાતચીત..

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ- 12 માં સાંભળો જાણીતા શિક્ષણવિદ્ અને નવયુગ ગ્રુપ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજીયા સાહેબને..

મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે બારમો એપિસોડ આવતી કાલે તારીખ 1 જાન્યુઆરી ને સોમવારે બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના બારમાં એપિસોડમાં જાણીતા શિક્ષણવિદ્ પી.ડી.કાંજીયા સાહેબ સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં મોરબીના શિક્ષણ વિશે, વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ સમજવાની વાતો, ભાર વિનાનું ભણતર કોને કહેવાય, સર્વાંગી વિકાસ, ભણતર સાથે ગણતર આવા બધા વિષયો પર વિસ્તૃત ચર્ચા થશે તો મોરબીઅપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.