તા.31મીએ મોરબીના જૂના ઘાંટીલા ગામના વતની પાટીદાર પરિવારનો 22મો સ્નેહમિલન સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના જુના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગૃપ દ્વારા તા. 31 ડિસેમ્બરને રવિવારે સાંજે 4 કલાકે ધુનડા રોડ પર આવેલા ઉજ્જવલ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના જુના ઘાંટીલા ગામના વતની પાટીદાર સમાજના આ સ્નેહમિલન કાર્યક્રમની સાથે પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બગથળાના નકલંકધામના મહંત દામજીભગત ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે. તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા ગૃપના પ્રમુખ જ્યંતિલાલ પ્રભુભાઈ સબાપરા, ઉપપ્રમુખ હાર્દિકભાઈ કરસનભાઈ વિડજા, શાંતિલાલ ભવાનભાઈ ગઢીયા, મંત્રી રાજેશભાઈ દેવજીભાઈ ઉભડીયા સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text