હળવદના ચાડધ્રા ગામે સ્વજનની સ્મૃતિમાં સંતવાણી યોજાશે

- text


હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના ગઢવી સમાજના આગેવાન સ્વ.માધુભા ડુંગરસંગ ગઢવી સ્વર્ગવાસ પામ્યા હોય તેઓની સ્મૃતિમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ચાડધ્રા ગામના પૂર્વ સરપંચ અને ગઢવી સમાજના આગેવાન માધુભા ગઢવીની પુણ્ય સ્મૃતિમાં ચાડધ્રા ગામે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21-12 – 2023 ને ગુરૂવારના રોજ યોજાના સંતવાણી કાર્યક્રમમાં ગોપાલ સાધુ,પ્રદીપભાઈ ગઢવી,રાજુભાઈ ગઢવી,પ્રવિણદાન ગઢવી,અનુભા બાવડી,વિપુલ મહારાજ,હિતેશ ગીરી, હકાભા ગઢવી સહિતના કલાકારો હાજર રહી સ્વ.માધુભા ગઢવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

 

- text