- text
હળવદઃ હળવદ તાલુકાના રાણેકપર ગામે આગામી તારીખ 17 ડિસેમ્બરના રોજ ગુજરાત કોંગ્રેસ સેવાદળ (મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાનું) સ્નેહમિલન યોજાશે. જેમાં કોંગ્રેસ પક્ષના તમામ આગેવાન કાર્યકરોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.
રાણેકપર ગામના નિલકંઠ મહાદેવ મંદિરે 17 ડિસેમ્બરે સવારે 10 કલાકે ગુજરાત કોંગ્રેસ સેવાદળનું સ્નેહમિલન યોજાશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના તમામ આગેવાન કાર્યકરોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ જેમલભાઈ રબારીએ આમંત્રણ પાઠવ્યું છે.
- text
- text