મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરાશે 

- text


મોરબી : આજે 6 ડિસેમ્બરને ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમીત્તે મોરબી જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ પખવાડીયાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા. 6 ને બપોરના 2:30 કલાકે મોરબી નગરપાલિકા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ભાજપ પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે. એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, યુવા મોરચા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા સહીતના સંગઠનના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચુંટાયેલા સભ્યો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા ભાજપ અજા મોરચો પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ સનારીયા, નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text