હળવદના બ્રાહ્મણી -2 ડેમનો દરવાજો ખોલાયો

- text


હળવદ : હળવદના બ્રાહ્મણી -2 ડેમમાં ધાંગંધ્રા બ્રાન્ચ કેનાલની પાણી ઠાલવામાં આવી રહ્યું છે. આથી હળવદના બ્રાહ્મણી -2 ડેમ છલોછલ ભરાયને ઓવરફ્લો થયો છે. આથી આ ડેમમાં પાણીનું લેવલ જાળવવા માટે વારંવાર ડેમનો દરવાજો ખોલવામાં આવે છે. ડેમમાં પાણીનું લેવલ જળવાઈ જાય એટલે ડેમનો દરવાજો બંધ કરી દેવામાં આવે છે. ગઈકાલે આ ડેમનો દરવાજો ખોલાયા બાદ આજે પણ આ ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.

- text