- text
મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનનાર 135 લોકોના મોક્ષાર્થે મોરબીના કબીરધામ આશ્રમ પાસે આયોજિત મોરારીબાપુની રામકથામાં આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપવાના છે.
મોરબીની ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 મૃતકોના આત્માની શાંતિ માટે આજથી વાવડી રોડ ઉપર કબીરધામ ખાતેથી મોરારીબાપુની રામકથા શરૂ થઈ છે. કથાના પ્રારંભે સાંસદ મોહનભાઇ કુંડારિયાના નિવાસસ્થાનેથી આજે પોથીયાત્રા નીકળી મુખ્યમાર્ગો પર ફરી કથા સ્થળ વાવડી રોડ ઉપર કબીરધામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. હવે આ કથામાં આવતીકાલે રવિવારના રોજ બપોરે 12 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રીની મોરબીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે.
- text
- text